Abtak Media Google News

 

લગ્નના બે માસ પૂર્વે જ  સજોડે કર્યો આપઘાત: કારણ અકબંધ

 

અબતક,ઋષી મહેતા, મોરબી

ગંગીયાવદર ગામે રહેતા યુવાનની ઉંડવી ગામે રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી જેના બે માસ આગાઉ લગ્ન નિર્ધારેલ હતા તે દરમિયાન વાંકાનેરના દલડી ગામ નજીક આ બન્ને યુવક યુવતીએ ટ્રેન હેઠળ પડત્તું મૂકી આપઘાત કરી લેતા વાંકાનેર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દલડી ગામ નજીક આવેલ રેલ્વે યાર્ડ પાસે પુર પાટ વેગે ધસમસતી આવતી અમદાવાદ સોમનાથ ટ્રેન હેઠળ ગંગીયાવદર ગામના વિજયભાઈ ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.26) અને થાન તાલુકાના ઉંડવી ગામે રહેતી યુવતીએ સજોડે ઝંપલાવ્યુ હતું. આ ઘટનામાં ટ્રેનની ઠોકરે બન્નેને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ બન્નેનું મોત નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાં બંનેના મૃતદેહનો કબ્જો સાંભળી પી એમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન વિજય ગોરધનભાઈ ગોંડલીયા અને મૃતક યુવતી બંનેની સગાઈ થઇ ગઈ હોય અને આગામી બે માસ બાદ તેઓના લગ્ન યોજવાના હતા. પરંતુ લગ્ન યોજાઈ તે પૂર્વે બન્નેએ જીવતરનો અંત આણી લીધાનું સામે આવ્યું છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.