Abtak Media Google News

કહેવાતું રહ્યુ છે કે જીવનમાં આગળ વધવું હોય તો ભુતકાળમાં થયેલી ભુલોનુ પુનરાવર્તન ટાળીને આગળ વધતા રહો, પરંતુ સંશોધકોનાં એક જૂથનું કહવું છે કે હકીકતે આ શિખામણથી વિરુધ્ધનું પગલુ યોગ્ય કહી શકાય. સંશોધકોનું કહેવું છે કે એકવાર નિષ્ફળ થતા તે માટે થયેલી ભુલનું દુ:ખ અનુભવીને તેને સુધારીને ભવિષ્યમાં વધુ સારુ કરવાની વૃતિ જ જીવનમાં આગળ લઇ જાય છે. સંશોધકોના ધ્યાને આવ્યું છે કે મોટાભાગના કોઇક વાતે નિષ્ફળ રહેતા, તેમાં કારણરુપે બહાના શોધતા હોય છે.

પોતાના અભિમાનને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. નિષ્ફળતામાં પોતાની કોઇ ભૂલ ના હોવાનું કહેતાં હોય છે. આવાં વલણને કારણે થયેલી ભુલને સુધારવાની વૃતિ જન્મતી જ નથી અને બીજી વાર એવી જ સ્થિતિ જન્મે તો તેનો સામનો કરી શકતા નથી, પરંતુ જે લોકો નિષ્ફળ થતા દુ:ખ અનુભવીને તે ભૂલને સુધારવા પ્રયાસ કરતા હોય છે તેઓ જીવનમાં તે ભુલનું પરિવર્તન કરતા નથી અને આગળ વધતા હોય છે. બીજી વાર એવી જ ભૂલ કરવાથી તેઓ બચતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.