Abtak Media Google News

નર્મદાના પાણી ન મળવાના કારણે પાણીકાપ ઝીંકાયો

જામનગર શહેર માં કેટલાક વિસ્તારો માં આગામી  તા. 8 અને 9 ના રોજ પાણી વિતરણ બંધ રાખવા માં આવનાર છે.સમ્પ સફાઈ ની કામગીરી કરવામાં આવનાર હોવાથી પાણી વીતરણ માં વિક્ષેપ ઉભો થનાર છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા નર્મદા યોજના માંથી દૈનિક રીતે 20 એમ.એલ.ડી. જેટલુ પાણી મેળવી ને શહે2માં પાણી વિતરણ કરવામાં આવે છે. જેમા ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વા2ા નર્મદા યોજના માંથી આવેલ વાર્ષિક સમ્પ, સફાઈના કામો કરવાનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે તા.08.02.23 અને તા.09.02.23 ના રોજ નર્મદા યોજના માંથી પાણી મળી શકશે નહી.

તેમજ પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત જ્ઞાનગંગા ફીલ્ટર પ્લાન્ટની સમ્પ સફાઈ કરવાની થતી હોય જેથી તા.08.02.23ના રોજ જ્ઞાનગંગા ઝોન, રવિપાર્ક ઝોન અને ગોકુલનગર ઝોન બંધ રહેવા પામશે. અને તા.09.02.23ના રોજ ગુલાબનગર ઝોન બંધ રહેવા પામશે. જે અન્વયે તા.08.02.23ના રોજ રવિપાર્ક ઝોનબી હેઠળ આવતા વિસ્તારો સિધ્ધાર્થનગર, ઈન્દીરા કોલોની, કોમલનગર, રાજીવનગર, વામ્બે આવાસ, દેવનગર, મયુરનગર, પરમારપાડો, બહેરામુંગા શાળા વિસ્તાર, યોગેશ્વર ધામ, ઓમ સાંઈનગર એ,બી,સી, સ્વામીનારાયણ ધામ, વાયુનગર, મુરલીધરનગર, બળદેવનગર, સેનાનગર, ઢીચડા ઈ.એસ.આર. વિસ્તાર,ગોકુલનગર ઝોનબી ઝોન હેઠળ આવતા વિસ્તારો, શીવનગર, શ્યામનગર, નારાયણનગર, નવાનગર, ખાખીનગર, મુરલીધરનગર, રાજરાજેશ્વરી સોસાયટી, વિજયનગર, સીતારામ સોસાયટી, સોહમનગર, બાલમુકુંદ સોસાયટી, સુભાષનગર, મુરલીધર સોસાયટી, સીતલ પાર્ક, સિધ્ધાર્થનગર, કૈલાશનગર, પ્રમુખસ્વામી પાર્ક, સમર્પણ પાર્ક, મોહન નગર અને ઓશવાળ સોસાયટી, વિગેરે વિસ્તારો તથા જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં આવતા ઈવાપાર્ક, સુભાષપાર્ક, રઘુવિરપાર્ક, નિલકંઠ પાર્ક, ન્યુ.નવાનગર, મયુર ટાઉનશીપ, ખોડીયાર પાર્ક, પુષ્કર ધામ, મંગલ ધામ, સેટલેાઈટ પાર્ક, મયુર બાગ, પંચવટી પાર્ક,આર્શિવાદ એવન્યુ, સનેશ્વર પાર્ક,મારૂતિનંદન, જાનંદ પાર્ક, કનૈયા પાર્ક, છરી ધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોનબી ત્યાર બાદના દિવસે ઝોન-એ માં આવતા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.

તેમજ તા.09.02.23ના રોજ ગુલાબનગર ઝોન-બી હેઠળ આવતા ભીમવાસ, નાગેશ્વર, સ્વામી નારાયણનગર, વિકટોરીયા પુલાની આજુ બાજુનો વિસ્તાર, રાજપાર્ક, રવિપાર્ક, રંગમતી પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, આદિત્ય પાર્ક, બાલવાડી વિસ્તાર, માણેકનગર, શાંતીવન સોસાયટી, ઉમિયાનગર, હાપા વિસ્તા2, ક્રિષ્નાપાર્ક,શિવ શકિત સોસાયટી વિગેરે વિસ્તારોમા પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન-બી ત્યાર બાદના દિવસે ઝોનએ માં આવતા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. તેમ મહાનગર પાલિકા ની વોટર વર્ક્સ શાખા ના કાર્યપાલક ઈજનેર ની યાદી માં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.