Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે. જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.07/05/2021 સુધી નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારિરીક ઇજા પહોંચાડી શકે તેવા બીજા કોઇપણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહી તથા તૈયાર કરવા નહી કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવી ચેષ્ઠા કરવી નહીં, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી અથવા તેનો ફેલાવો કરવો નહીં, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહીં, તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.

આ પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યકિત કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીએ આવું કોઇ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યકિતને તથા જિલ્લા પોલીસ અધિક્ષક, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી.

જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.07/05/2021 સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં, સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય પાંચ કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ પ્રતિબંધ લગ્નના વરઘોડા – સ્મશાનયાત્રા તથા શોભાયાત્રાની પૂર્વ મંજૂરી લીધેલ હશે તે શોભાયાત્રાને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.