વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સેવાભાવી કાર્યકર રાજેશકુમાર વી. મહેતાએ તેમના પિતાની સાતમી પુણ્યતિથિ નિમિતે ૭મી વખત રકતદાન કર્યુ હતુ. સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકમાં તેમના મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં રકતદાન કરવામાં આવ્યુ હતુ. બ્લડબેંકમાંથી રકતદાન વિશે વોકહાર્ટમાં દાખલ પેશન્ટને બ્લડની તાત્કાલિક જરૂર હોય તે અંગે ફોન કરવામાં આવ્યો હતો. હાલ કોરાના મહામારીમાં રકતની અછતના સમયમાં રકતદાન કરવા બદલ બ્લડબેંકના એમ.ડી.એ. રાજેશભાઇ મહેતાને બિરદાવીને સન્માનિત કર્યા હતા. બ્લડ બેંકમાંથી ફોન આવ્યો કે બી. બ્લડગૃપની ખૂબજ જરૂરીયાત છે ત્યારે રાજેશભાઇ તાત્કાલિક પહોંચી ગયા હતા અને રક્તદાન કરીને ઓપરેશનમાં દર્દીને મદદરૂપ થયા હતા.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા