Abtak Media Google News

ભાવિકનું મોત ગળેફાંસાથી થયું હોવાનું પ્રાથમીક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તારણ

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને વસ્ત્રાલના ધારાસભ્ય જગદીશભાઇ પંચાલના રર વર્ષીય પુત્રનો ગઇકાલે ગળેફાંસો ખાધેલી હાલત મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પોલીસે આકસ્મીક મોતમાં ખપાવી તપાસ શરુ કરી હતી અલબત હજુ સુધી આત્યહત્યાનું રહસ્ય અકબંધ રહ્યું છે.

પોલીસે હજુ જગદીશભાઇનું સ્ટેટમેન્ટ લીધું નથી. પ્રાથમીક પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ભાવિકનું ગળેફાંસાથી મોત થયું હોવાનું તારવા આવ્યું છે. પિતાનો મુજબ નિરમા યુનિ.માંથી એન્જી. પાસ કરનાર ભાવિકે નવા નરોડા ખાતે નિવાસસ્થાને ગળેફાંસો ખાધો હતો. તે સમયે ઘરે કોઇ હાજર નહોતું.

જગદીશભાઇ અને તેમના પત્ની ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમને ભાવિકનો મૃતદેહ પંખે લટકાતો જોયો હતો. પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આકસ્મીત મોત નોંધી આગળ તપાસ ચલાવી હતી. હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.