Abtak Media Google News

શેરબજાર અર્થતંત્રનું બેરોમિટર છે. તેનું રક્ષણ કરવું સેબી અને સરકારની જવાબદારી છે. ત્યારે હિન્ડનબર્ગ જેવા દેશના વિકાસમાં રોડા નાખતા તત્વો સામે સુપ્રીમ ખફા થઈ છે. રિપોર્ટકાંડને લઈ અદાણીમાં રોકાણકારોની નુક્સાનીની ભરપાઈની જવાબદારી કોની ? તેવો પણ સુપ્રીમે સવાલ કર્યો છે. સાથે હિંડનબર્ગ રિસર્ચ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા શોર્ટ પોઝિશન લેવાને કારણે ભારતીય રોકાણકારોને જે નુકસાન થયું છે તેનાથી કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ ? સેબી અને સરકારને તપાસ કરવા સુપ્રિમે આદેશ પણ આપ્યો છે.

હિંડનબર્ગ રિસર્ચ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા શોર્ટ પોઝિશન લેવાને કારણે ભારતીય રોકાણકારોને જે નુકસાન થયું છે તેનાથી કાયદાનું ઉલ્લંઘન થયું છે કે કેમ? સેબી અને સરકારને તપાસ કરવા સુપ્રીમનો આદેશ

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં શેરના ભાવમાં હેરાફેરી અંગે અદાણી ગ્રૂપ સામે કરાયેલા આક્ષેપોની સીટ તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.  સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે તપાસ કરવી જોઈએ કે હિંડનબર્ગ રિસર્ચ અને અન્ય કોઈ સંસ્થા દ્વારા શોર્ટ પોઝિશન લેવાને કારણે ભારતીય રોકાણકારોને જે નુકસાન થયું છે તે કાયદાના ઉલ્લંઘનમાં સામેલ છે કે કેમ ? ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે જો આવું જણાશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે.

અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે ગઈકાલે એટલે કે 3 જાન્યુઆરીએ સેબીને તપાસ માટે વધુ 3 મહિનાનો સમય આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે સેબીના રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં પ્રવેશવાની કોર્ટની સત્તા મર્યાદિત છે. કોર્ટે કહ્યું હતું કે સેબીએ 24માંથી 22 કેસમાં તપાસ પૂર્ણ કરી છે. સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે સેબીને અન્ય બે કેસમાં 3 મહિનામાં તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓસીસીપીઆર રિપોર્ટને સેબીની તપાસ પર શંકાના રૂપમાં ન જોઈ શકાય. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે સેબી પાસેથી સીટને તપાસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી.

અદાણીએ કહ્યું- સત્યની જીત થઈ છે

કોર્ટના આ નિર્ણય બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું – ’કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. જેઓ અમારી સાથે ઊભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસગાથામાં અમારું યોગદાન ચાલુ રહેશે.

ગયા વર્ષે 24 નવેમ્બરે કેસની સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સીજેઆઈએ કહ્યું- અમારે અમેરિકન કંપની હિંડનબર્ગના રિપોર્ટને હકીકતમાં સાચો માનવાની જરૂર નથી. હિંડનબર્ગ અહીં હાજર નથી, અમે સેબીને તપાસ કરવા કહ્યું છે. 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી.

આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.