Abtak Media Google News

શહેરમાં કૈલાશધારા મેઇન રોડ પર આવેલી કૈલાશધારા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ‘હું હમણાં આવું છું, તમે નાસ્તો કરી લ્યો’ તેમ સાસુને કહી વહુએ ઉપર રૂમમાં જઇ લટકી ગઇ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કૈલાશધારા સોસાયટીમાં રહેતી વિધીબેન વિશાલભાઈ પટેલ નામની ૨૯ વર્ષની પરિણીતાએ પોતાના ઉપરના રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે પોલીસે નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિધીબેનના પતિ વિશાલભાઈ સવારે નાસ્તો કરી નોકરીએ ગયા હતા. ત્યાર બાદ પરિણીતાએ કપડાં ધોયા બાદ તેમની સાસુ ભાનુબેનએ નાસ્તો કરવાનુ કહેતા ‘હું હમણાં આવું છું, તમે નાસ્તો કરી લ્યો’ તેવું કહી ઉપર જઈને જીવન ટૂંકાવી લીધું હતું.

વિધીબેન ત્રંબા ગામે માવતર ધરાવે છે. ચાર વર્ષ પહેલાં તેમના વિશાલ સાથે લગ્ન થયા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર પણ છે. જેથી પરિણીતાના આપઘાતથી માસુમ પુત્રને માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.