Abtak Media Google News

કલરનો કોન્ટ્રાકટ રાખ્યો હોવાથી અમદાવાદ જવાનું હતું

રાજકોટમાં  કોઠારિયા રોડ પર ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા કિરણબેન મનીષભાઈ ટીડીયા (ઉં.વ.27)એ સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. આથી પરિવારજનોએ તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી ન્યુ રાધેશ્યામ સોસાયટીમાં રહેતા કિરણબેન ટીડીયાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.બનાવ અંગે ભક્તિનગર પોલીસને જાણ થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં કિરણબેનના લગ્નને ત્રણ વર્ષ થયાં હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાના પતિ કલરકામ કરે છે અને ગત મંગળવારના રોજ પતિ લાભપંચમના દિવસે અમદાવાદ ગયો અને કહ્યું કે હું ત્યાં મકાન શોધી લઉં બાદમાં તને ત્યાં લઇ જઈશ. આથી પત્નીને લાગી આવતા પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ કિરણબેનના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.