Abtak Media Google News

રાજયની આઠ મહાપાલિકાઓને રાત્રી કરફયુમાંથી મૂકિત આપવાની વિચારણા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે રાજય સરકારની કેબીનેટની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં વરસાદ ખેંચાવાની પ્રવર્તમાન સ્થિતિમાં પગલાલેવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તાઉતે વાવાઝોડા બાદ ત્રણ મહિના પછી પણ અસરગ્રસ્તોને સરકારી સહાય પહોચી નથીતે અંગે પણ ચર્ચા કરાય હતી રાજયની આઠ મહાનગરપાલીકામા 15મી ઓગષ્ટે રાત્રી કરફયુની મૂદત પૂરી થઈ રહી છે. જેમાં છૂટછાટ આપવા પણ વિચારણા કરવામાં આવી હતી.

દર બૂધવારે રાજય સરકારની કેબીનેટ બેઠક મળે છે.જેમાં અલગ અલગ મૂદાઓ પર ચર્ચા કરવામાં આવે છે. અને નિર્ણયો લેવામાં આવે છે. રૂપાણી સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ગત ચાલુ સપ્તાહ સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેના કારણે કેબીનેટની બેઠક મળી નહતી. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક યોજાઈ હતી.

જેમાં રાજયમાં હાલ વરસાદ ખેંચાતા પાક અને પાણીની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી જો એકાદ સપ્તાહ હજી વરસાદ ન પડે તો કેવું આયોજન કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ સહિત રાજયની આઠ મહાપાલિકામાં હાલ રાત્રીનાં 11થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયું અમલમાં છે જેની મૂદત 15મી ઓગષ્ટે પૂર્ણ થઈ રહી છે.જેમાં મકિત આપવા પણ કેબીનેટમાં ચર્ચા કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.