Abtak Media Google News

પુત્રીને કોલેજે મોકલવાના પિતાના ઓરતા અધુરા રહ્યા: યુવતીએ ફ્યુચરની ચિંતા વ્યક્ત કરતી સ્યુસાઇડ નોટ મળી

કોલેજમાં એડમિશન મેળવવા વણિક પરિવારની છેલ્લા ચાર દિવસની દોડધામના અંતે ફયુચરની ચિંતા કરતી સ્યુસાઇડ નોટ લખી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાધાર પાસે આવેલા શાંતિનગર ગેઇટ પાસે રહેતી પાર્થના વિપુલભાઇ પારેખ નામની 18 વર્ષની વણિક યુવતીએ પોતાના ઘરે પંખાના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું યુનિર્વસિટી પોલીસમાં નોંધાયું છે.

પાર્થના પારેખ ધોરણ બારની પરિક્ષામાં એક વિષયમાં ફેઇલ થઇ હતી. તાજેતરમાં લેવાયેલી પુરક પરિક્ષામાં પાસ થતાં પાર્થના અને તેના પિતા વિપુલભાઇ પારેખ છેલ્લા ચારેક દિવસથી એડમિશન માટે અલગ અલગ કોલેજ તપાસ કરી હતી પરંતુ કોલેજમાં એડમિશન મળ્યું ન હતું.

વિપુલભાઇ પારેખ સવારે પોતાની પુત્રી પાર્થનાને સાથે લઇને મહિલા કોલેજ અને કુંડલીયા કોલેજમાં એડમિશન માટે તપાસ કરવા જવાના હતા તેઓએ પોતાની સાથે કોલેજની ફી માટે રુા.10 હજાર સાથે લીધા હતા. પોતાની પુત્રી પાર્થનાને ઝડપથી તૈયાર થવા જવાવ્યું ત્યારે તેણીએ પોતાના પિતાને તૈયાર થઇને આવું કહી રુમમાં ગયા બાદ પંખાના હુક સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

લાંબો સમય થવા છતાં પાર્થના બહાર ન આવતા વિપુલભાઇ પારેખ રુમમાં તપાસ કરવા ગયા ત્યારે પોતાની પુત્રી પંખાના હુક સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. તેણી પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. તેમાં મને આજે જો એડમિશન ન મળ્યું તો હું શું કરીશ તમને બધાને લાગે હું આખો દિવસ ખુશ રહું છું તો મને કોઇ ટેન્શન નથી. તમારા કરતા વધારે મને ટેન્શન છે. કારણ કે ફ્યુચર તો મારુ છે ને તેથી …સોરી સોરી લખ્યુ હતું.

મૃતક પાર્થના બે બહેન અને એક ભાઇમાં મોટી છે. પાર્થના પારેખ કોલેજમાં અભ્.યાસ કરી આગળ વધે તેવા પરિવાર સપના સેવી રહ્યો ત્યારે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા વણિક પરિવરા શોકમગ્ન બની ગયો છે. યુનિર્વસિટી પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથધરી છે.

Img 20230808 Wa0021

પ્રાથના પારેખના પિતા વિપુલભાઈ આજ સવારથી જ પુત્રીના એડમિશન માટે ઉત્સાહિત હતા. તેઓએ પુત્રીને તૈયાર થઈને આવવાનું કહ્યું હતું પરંતુ વ્હાલસોઈ પુત્રી પ્રાથના ઉપર રૂમમાં તૈયાર થવા ગઇ અને સ્યુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં કાળો કહેર છવાયો છે.

વિશ્વકર્મા સોસાયટીની યુવતીએ ગળાની બીમારીથી કંટાળી કરી આત્મહત્યા

ગોંડલ રોડ પર આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતી ટીનાબેન વિનોદભાઇ જસાણીયા નામની 21 વર્ષની યુવતીએ ગળાની બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે. હીરાઘસુ પ્રૌઢની એકની એક પુત્રી ટીનાબેન જસાણીયા કારખાનામાં કામે જઇ પરિવારને મદદરુપ થતી હતી. કેટલાક સમયથી ગળાની બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.