Abtak Media Google News

પાણીકાપ ન મુકવો પડે તેવી વ્યવસ્થા ઉભી કરાવતા કમિશનર આનંદ પટેલ

વોટર વર્કસ વિભાગના સેન્ટ્રલ ઝોન અંતર્ગતના રેલનગર પમ્પીંગ સ્ટેશન આધારિત વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પાણી જન્ય રોગચાળો ફેલાવાની ભીતિ હોઈ, રાજકોટ શહેરની જનતાના આરોગ્યને ધ્યાને લઇ ગત સોમવારે કોઈ પણ પ્રકારનું શટડાઉન લીધા વગર  (પાણી વિતરણ) ચાલું રાખીને રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં પાણીના ટાંકાની સફાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી તેમ મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 8 એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા, રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં જીએસઆરની 20 કર્મચારીઓ દ્વારા સતત આઠ કલાક સફાઈ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અગાઉ સફાઈ કામગીરી સમયે પાણી વિતરણ વ્યવસ્થા બંધ રાખી પાણીના ટાંકા સફાઈ કરવામાં આવતી હતી.

પણ આ વખતે જાહેર જનતાને પાણીની તકલીફ ન પડે તેવા આશય સાથે વધુ સંખ્યામાં માણસો અને મશીનરીનો ઉપયોગ કરી અન્ય વૈકલ્પિક જગ્યાએથી પાણી વિતરણ વ્યવસ્થા કરી ૠજછની સફાઈ કરવામાં આવેલ હતી. રેલનગર પમ્પીંગ સ્ટેશન   હેઠળ વોર્ડ નં. 2 અને વોર્ડ નં. 3ના આશરે 70,000 નાગરિકોને નિયમિત રીતે પાણી વિતરણ કરવામાં આવેલ.

આ કામગીરી એડી. સીટી એન્જીનીયર-વોટર વર્કસ પ્રોજેક્ટ  કે.પી.દેથરીયા તથા ના.કા.ઈ.શ્રી વોટર વર્કસનાં સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.