Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»અરજદારોને ન્યાય આપો, મારા સુધી ધક્કા ન ખવડાવો: અધિકારીઓને મ્યુનિ.કમિશનરની સૂચના
Gujarat News

અરજદારોને ન્યાય આપો, મારા સુધી ધક્કા ન ખવડાવો: અધિકારીઓને મ્યુનિ.કમિશનરની સૂચના

By ABTAK MEDIA05/07/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

નિકાલ ન થઇ શકે તેવા કામમાં અરજદારોને સિધો ઇન્કાર કરવાનું રાખો કમિશનર સુધી મોકલવાની ખોટી ટેવ ન પાડો

મ્યુનિ.કમિશનર આનંદ પટેલે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એવી સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે અરજદારને મારા સુધી મોકલવાની ખોટી ટેવ ન પાડો વોર્ડ લેવલથી જ કામગીરીનો નિકાલ કરવાની સિસ્ટમ ઉભી કરો.

તાજેતરમાં મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા તમામ શાખાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એવી સૂચના આપવામાં આવી હતી કે અરજદારોને સામાન્ય કામ માટે પણ મને મળવા આવવું પડે તેવી ખોટી પ્રથમ સદ્તરપણે બંધ કરી દ્યો. જો કોઇ કામ ન થઇ શકે તેમ હોય તો અરજદારને ઇન્કાર કરવાની ટેવ પાડતા જાવ. કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા નાના-મોટા કામ માટે અરજદારને કમિશનર સુધી મોકલી દેવામાં આવે છે. જેના કારણે તેઓની કામગીરીમાં વારંવાર વિક્ષેપ ઉભો થાય છે.

તાજેતરમાં બેઠકમાં આનંદ પટેલે નાયબ કાર્યપાલક ઇજનેર ઉપરાંત વોર્ડના આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતનાને સૂચના આપી દીધી હતી. અરજદારને મારી પાસે મોકલવાની ટેવ પાડતા નહિં. ઉકેલ ન આવી શકે તેવા કિસ્સામાં પણ કોઇ સંજોગોમાં અરજદારને કમિશનર સુધી મોકલવાની આદત ન રાખવી. બોટમ લેવલથી જ ન થઇ શકે તેવા કામમાં ઘસીને ના પાડી દેવાની આદત પાડો. જો નિયમ પ્રમાણે કામ ન કરી શકાય તેમ હોય તો ના પાડી દેવી અને અરજદાર લેખિતમાં જવાબ માંગવાનો આગ્રહ રાખે તો તેને લેખિતમાં જવાબ આપો. જો એક જ અરજદાર વારંવાર એક જ કામના ફોલોઅપ માટે મ્યુનિ.કમિશનર પાસે આવશે તો અધિકારીઓને નોટિસ પણ આપવામાં આવશે. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જણાવી દેવામાં આવ્યું છે. ભારે વરસાદમાં પાણી ભરાવવાની ફરિયાદ મળે તો તેનો પણ ઝડપી નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી.

ALSO READ  ભુજમાં ખાખીની પ્રતિષ્ઠાને લાંછન !!!

રોગચાળાને નાથવા માટે પણ જવાબદારી ફિક્સ કરી દેવામાં આવી છે. કોઇ અરજદાર એક ફરિયાદ વારંવાર કરતું હોય તો ફરજિયાતપણે તેની સાઇટ વિઝિટ કરી અને સાત દિવસમાં તેની ફરિયાદનો નિકાલ આવી જાય તે રીતની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

AnandPAtel Applicants featured gujarat Justice MunicipalCommissioner rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસેવાકિય પ્રવૃતિના લક્ષ્યાંક સાથે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના હોદેદારોની વરણી
Next Article અરે વાહ… પાણી કાપ ઝીંકયા વિના ટાંકાની સફાઇ
ABTAK MEDIA
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.