Abtak Media Google News

શરીરની ઘડિયાળ દરેક ક્રિયા પર નિર્ધારિત હોય જે અનિયમિત ભોજનથી સૌથી વધુ પ્રભાવિત થાય છે

કટાણે ભોજન કરવાથી શરીરની ઘડિયાળ અનિયમિત બને છે અને હૃદયરોગ, ડાયાબિટીસનું જોખમ વધારે છે. આપણા શરીરમાં એક ઘડિયાળ છે જે બે અલગ-અલગ ક્રિયા-પ્રતિક્રિયા પર નિર્ધારિત હોય છે.

એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે, શરીરની ઘડિયાળમાં ખરાબ અથવા બિનજરી વિચારો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

શરીર માટે સૌથી વધુ મહત્વપૂર્ણ સમયસર જમવું જે આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. શરીર ઘડિયાળના અભ્યાસુઓને ઉમ્મીદ છે કે તેઓનું શરીર ઘડિયાળનું અવલોકન ખરાબ સ્વાસ્થ્યને જાણી શકે છે. શરીર ઘડિયાળમાં ૨૪ કલાકનું એક ચક્ર છે. જે શરીરની દરેક કોશિકાની અંદર કામ કરે છે અને આપણી દૈનિક ક્રિયાને નિયંત્રિત કરે છે. જેમાં ઉંઘ, હોર્મોન્સ લેવલ વગેરેનો સમાવેશ થાય છે.

શરીર ઘડિયાળ ડાયેટ અને ભોજનની નિયમિતતાથી પ્રભાવિત થાય છે. આ ઉપરાંત દીર્ઘઆયુષ્ય માટે મહત્વપૂર્ણ પણ છે. આ ઉપરાંત શારીરિક ઘડિયાળ મોડીરાત સુધી કામ કરવાથી અનિયમિત બને છે જેની અસર આપણા સ્વાસ્થ્ય પર ખરાબ રીતે પડે છે. ભોજનમાં અંચી એ શરીર ઘડિયાળને અનિયમિત કરવા માટે સૌથી મોટા કારણોમાંનું એક કારણ માનવામાં આવે છે. અનિયમિત ભોજનકરવાથી ડાયાબીટીશ અને હૃદયનાં રોગો થવાની શક્યતા વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.