Abtak Media Google News

મૃતકની પરિણીત બહેનને ભગાડી જવાના પ્રશ્ને ચાલતી અદાવત દરમિયાન મશ્કરીના મુદે થયેલા ઝઘડામાં ચાર શખ્સો ઢીમઢાળી દીધું

મોરબી નજીક આવેલા ત્રાજપરના યુવાનની પરિણીત બહેનને ભગાડી જવાના પ્રશ્ને ચાલતી અદાવત દરમિયાન વિકલાંગ યુવાનની મશ્કરીના કારણે બોલાચાલી થતા ચાર શખ્સોએ ધોકા અને પાઇપથી હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ત્રાજપર ગામે રહેતા શંકર ઘોઘાભાઇ વરાણીયા નામના ૩૨ વર્ષના યુવાન પર પાઇપ અને ધોકાથી હુમલો કરી જયેશ જીવણ અદગામા, પ્રવિણ ઉર્ફે ઉગો જગમાલ અદગામા, યોગેશ જગમાલ અને ઉમેશ અદગામા નામના શખ્સોએ હત્યા કર્યાની સોનાબેન ઘોઘાભાઇ નામના ૬૫ વર્ષની વૃધ્ધાએ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

મૃતક શંકરની બહેન મધુના ૧૩ વર્ષ પહેલાં ટંકારાના ઓટાળા ગામે લગ્ન થયા હતા. ત્રણેક વર્ષ પહેલાં ઉમેશ જગમાલ તેણીને ભગાડી ગયો હતો. બંને મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા હોવાથી બંને પરિવાર વચ્ચે ત્રણેક વર્ષથી અદાવત ચાલતી હતી તે દરમિયાન શંકર ઘોઘા વરાણીયાએ શનિવારે રાતે વિકલાંગ ખોડા જીવણની મશ્કરી કરતા બંને પરિવાર વચ્ચે થયેલી બોલાચાલીના કારણે હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.મોરબીના બી ડિવિઝન પોલીસે શંકર વરાણીયાની હત્યા અંગે જયેશ જીવણ અદડામા અને પ્રવિણ ઉફે ઉગાનો ગુનો નોંધી પી.આઇ. આઇ.એમ.કોઢીયા અને પી.એસ.આઇ. કે.એચ.રાવલ સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.