Abtak Media Google News

ઓખા મંડળના ૨૯૭ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

રેડીયન્સ હોસ્પિટલ અમદાવાદ અને શ્રી ગીરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાવલ દ્વારા રામજી ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, બાલમંદીર, દ્વારકા ખાતે તાજેતરમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ઓખા મંડળના કુલ ૨૯૭ જેટલા દર્દીઓએ લાભ લેતા ૯૯ દર્દીઓ, પેટ આંતરડાના ૪૮ દર્દીઓ, કરોડરજજુ મણકાના ૫૯ દર્દીઓ, ગોઠણ તથા થાપાના દર્દના ૯૧ દર્દીઓ મળી કુલ ૨૯૭ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પની શરુઆતમાં દીપ પ્રાગટય અમદાવાદથી આવેલ ડોકટર્સની ટીમના ડો. અપૂર્વ વ્યાસ, ડો. કેતન શુકલા, ડો. ચેતન ગોકાણી, ડડો. જયુન શાહ, ડો. સૌરભ ગોયલ અને ઉ૫સ્થિત મહાનુભાવો વિનોદભાઇ ગોકાણી, ઇશ્વરભાઇ ઝાખરીયા, કે.જી. હિન્ડોચા, અશ્વીનભાઇ ગોકાણી, પ્રવીણભાઇ લાખાણી વગેરે મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવેલ. કેમ્પને સફળ બનાવવા અશ્ર્વિનભાઇ ગોકાણી, ઇશ્વરભાઇ ઝાખરીયા, હિરેનભાઇ ઝાખરીયા, સુરેશભાઇ વાયડા, પ્રવીણભાઇ લાખાણી, સોનલબેન લાડવા વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.