Abtak Media Google News

અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન

શ્રીકૃષ્ણ ભગવાનની 16108 રાણીઓ હોવાનો પૌરાણિક ઉલ્લેખ હોય તથા ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સંગ રાસલીલા પણ જગપ્રસિધ્ધ છે ત્યારે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા આગામી 23મી ડિસેમ્બરના રોજ દ્વારકાધીશના સાંનિધ્યમાં 16108 આહિરાણી ગોપીઓ બનીને મહારાસ કરશે. આ પ્રકારનો આટલી વિશાળ સંખ્યામાં ગોપીઓનો રાસ એ વિશ્વ રેકોર્ડ સમાન બની રહેશે. આ માટે રજિસ્ટ્રેશન તથા માહિતી માટે વનીતાબેન ચાવડા (મો.9726530920), લીરીબેન માડમ (મો.9427775670) નો સંપર્ક સાધવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.