Abtak Media Google News

ઓખા સર્વોદય મહિલા મંડળના ડો. પુષ્પાબેન સોમૈયા દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઓખાના લોકોએ જયોત સે જયોત જલાતે રહો રકતદાન કી ગંગા બહાતે રહો નુ શીર્ષક સાર્થક કર્યું હતુ જેમાં કુલ ૬૦ લોકોએ ૧૮ હજાર સી.સી. રકતનું દાન કર્યું હતુ ૧૫ મહિલા અને ૪૫ પુરૂષો રહ્યા હતા અહી યુવાનોમાં રકતદાનનો ઉત્સાહ વધારે જોવા મળ્યા હતો. ઓખાના રહેવાસી નિશાંતભાઈ સામાણીનો આજે જન્મ દિવસ હોય તેમણે કપલે સાથે રકતદાન કરી જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઓખા મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સોમૈયાએ ઈશ્ર્વરે આપણને આપણે જીંદગીથી રકતદાન કરી અન્યની જીંદગી બચાવી આપણી જીંદગી સાર્થક કરવા લોકોને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.