Abtak Media Google News

૬ યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા: જ્ઞાતિજનોની ઉપસ્થિતિ

શ્રી ઝાલાવાડી સઈ-સુથાર (દરજી) જ્ઞાતિ-સુરેન્દ્રનગર દ્વારા ૩૭મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૬ યુગલોએ પ્રભુતામાં પગલા માંડેલ હતા. સમુહલગ્ન સમારંભનું પ્રમુખસ્થાન રમેશભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીએ શોભાવેલ હતું. આ સમારંભમાં સુરેન્દ્રનગર જ્ઞાતિનાં અગ્રણી ગીરધરલાલ ચતુરદાસ પરમાર, અરવિંદભાઈ સી.પરમાર, સુરેશભાઈ ચૌહાણ, કિર્તીભાઈ સોલંકી, અશોકભાઈ સોલંકી, વિપુલભાઈ વાઘેલા, મહેન્દ્રભાઈ ચૌહાણ, દિનેશભાઈ, કિશોરભાઈ મકાણી, ગીરીશભાઈ સોલંકી, અનિલભાઈ મીસ્ત્રી, સુનિલભાઈ કુડેચા, પ્રવિણભાઈ ગોહિલ, અરવિંદભાઈ ગોહિલ સહિતના જ્ઞાતિજનોએ હાજર રહી પ્રસંગને શોભાવેલ હતો.

Advertisement

સમારંભમાં અશોકભાઈ સોલંકી, હસુભાઈ પરમાર તથા દિલીપભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચન કરી આર્શીવચન આપેલ હતા. ૩૭માં સમુહલગ્નને સફળ બનાવવા શ્રી ઝાલાવાડી સઈ-સુથાર જ્ઞાતિના ટ્રસ્ટી સુરેશભાઈ ચૌહાણ, ડાહ્યાભાઈ સોલંકી તથા પ્રમુખ બિપીનભાઈ પરમાર તથા કાર્યવાહક મંડળના સભ્યો પંકજભાઈ પરમાર, વિજયભાઈ વાઘેલા, હિંમતલાલ ચૌહાણ, કેતનભાઈ સોલંકી, પ્રફુલભાઈ પરમાર, હિતેષભાઈ વઢવાણા, ઘનશ્યામભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ગદાણી તથા ધર્મેન્દ્રભાઈ ગોહિલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં અંદાજે ૨૨૦૦ જ્ઞાતિજનોએ હાજરી આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.