Abtak Media Google News
અબતક, નવીદિલ્હી 

સમગ્ર ભારત દેશમાં અનેક એવા એનજીઓ છે જે વિદેશીદાન સ્વીકારતા હોય છે. વિદેશી ફંડના ક્લિયરન્સ માટે હાલના તબક્કે ૬ હજારથી વધુ એનજીઓ મહેનત કરી રહી છે. આ તમામ એનજીઓ છે કે જેના લાયસન્સ રીન્યુ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી અને પરિણામે આ તમામ એનજીઓ દ્વારા સરકાર ની સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આજે થશે. ઘણા એવા એનજીઓ છે કે જે વિદેશી ફંડ માટે કાર્ય કcentraરતા હોય પરંતુ જરૂરી વાત તો એ છે કે આ પૂર્વે અનેક વખત વિદેશથી આવતા પહાડને કોઇ અલગ જ કાર્યો માટે વાપરતા હોવાના આક્ષેપો થયેલા છે એટલું જ નહીં વિદેશથી આવતા નાના ઓ કે મની લોન્ડ્રિંગ અને દેશવિરોધી કાર્ય કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

 કેન્દ્ર સરકાર દ્વારા લાઇસન્સ રીન્યુ ન કરતા સુપ્રીમમાં પીટીશન દાખલ કરાઈ 

તમામ મુદ્દાઓને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા એફસીઆરએ નું લાઇસન્સ રીન્યુ કરવા માટે સરકાર દ્વારા નનઈયો દવા માં આવેલો છે ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી પણ હાથ ધરાશે અને સમય જણાવશે કે આ તમામ એનજીઓના લાઇસન્સ ફરી રીન્યુ થશે કે કેમ.? એનજીઓના જણાવ્યા મુજબ કોરોના ની કપરી પરિસ્થિતિમાં સરકારને આ તમામ એનજીઓ દ્વારા મદદ કરવામાં આવી હતી અને જેનો મુખ્ય આવકનો સ્ત્રોત વિદેશથી આવતું ભંડાર હતો ત્યારે જો યોગ્ય રીતે લાયસન્સ ન મળે તો એનજીઓની સાથોસાથ સરકાર અને દેશમાં જે રાહત કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે તેના ઉપર પણ અસર પડશે. સીતારામ એનજીઓ નું એવું પણ માનવું છે કે સરકાર તેમના જે લાઇસન્સ છે તેને જ્યાં સુધી ભારતમાં કોરો ના રહે ત્યાં સુધી માન્ય રાખે જેથી તેઓને વિદેશથી આવતા દાનની રકમ માં કોઈ અડચણ ઉભી ન થાય.
એનજીઓ લનું માનવું છે કે જે રીતે સરકાર દ્વારા તેમના લાયસન્સ ને કેન્સલ કરવામાં આવ્યા તેનાથી અનેક લોકોના હક છીનવાણા છે. સાથોસાથ એનજીઓએ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે એનજીઓ દ્વારા જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તેની નોંધ કેન્દ્ર સરકાર, નીતિ આયોગ અને ખુદ વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલી છે . જેથી એનજીઓ દ્વારા આજે કાર્યો હાથ ધરવામાં આવે છે તેનું યોગ્ય ફળ તેઓને મળેલું છે પરંતુ લાઇસન્સ ને કેન્સલ કરવું એ વાત વ્યાજબી ન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.