Abtak Media Google News

યુવાનને શંકાના આધારે મોતને ઘાટ ઉતારનાર બે શખ્સની શોધખોળ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામે છેડતીના પ્રશ્ર્ને બે શખ્સોએ કણકોટના યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાના કણકોટ ગામે રહેતા શબ્બીર અનવરભાઈ નામના યુવાનને ભીકડા ગામની સીમમાં વિશાલ જાલા રબારી અને રાજુ રામ રબારી નામના શખ્સોએ બેનની છેડતી કરતો હોવાની શંકાએ મારમારી મોત નિપજાવ્યું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાથમિક પૂછતાછમાં શબ્બીર અનવર આરોપીની બેનની છેડતી કરતો હોવાની શંકાના આધારે બંને શખ્સોએ યુવાનને ફોન કરી કણકોટથી ભીકડા ગામની સીમમાં બોલાવી ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યુંછે. ઘોઘાપોલીસ મથકના પીએસઆઈ એચએમ રાણા સહિતના સ્ટાફે ફરિયાદના આધારે હત્યારાઓનીશોધખ્ળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.