Abtak Media Google News

પાંડે નામનો શખ્સ અપહરણ કરીને ફાર્મહાઉસે ઉઠાવી ગયો: રોહિત પાસેથી બિટકોન વોલેટ અને પાસવર્ડ પણ લીધા હતા

સરથાણાના બિલ્ડર ચેતન ગાંગાણી પાસે એનસીઆર કોઇનમાં રૂ. ૧૪ કરોડનું રોકાણ કરાવી રૃપિયા પરત ન કરનાર એનસીઆર કોઇનના એમ.ડી. અને પ્રમોટર રોહિત બાબુભાઇ કપોપરા (ઉ.વ. ૩૩, રહે. બી-૭૦૨, એપલ એવન્યુ, યોગીચોક, પૂણા- સીમાડા રોડ, સુરત. મૂળ રહે. હીપાવડલી, તા. જેસર, જી. ભાવનગર) તેમજ અન્ય બે પ્રમોટર અલ્તાફ અમીરઅલી વઢવાણીયા (ઉ.વ. ૩૩, રહે. ૫૦૨, નિલમ પેલેસ, કરીમાબાદ સોસાયટીની સામે, ઘોડદોડ,  સુરત) અને ઉમેશ  મૂળ રહે. મોલડી, તા. સાવરકુંડલા, જી. અમરેલી)ની ક્રાઇમ બ્રાંચે ગતરોજ અટકાયત બાદ ધરપકડ કરી હતી.

હજારો લોકો પાસે  રોહિતે એનસીઆર કોઇનમાં રોકાણ તો કરાવ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કોઇન વેચવા તેણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાવી ન હોવાથી લોકોના નાણાં ફસાયા હતા. આથી રોકાણકારો તેની પાસે પૈસા પરત માંગી ધાકધમકી પણ આપતા હતા. આવા જ એક રોકાણકાર પાંડેએ દોઢ માસ અગાઉ રોહિતનું અપહરણ કર્યું હતું અને તેને કામરેજના એક ફાર્મહાઉસમાં લઇ જઇ ગોંધી રાખી માર માર્યો હતો.

રોહિતે એનસીઆર કોઇનના રોકાણમાં મળેલા પૈસા બીટકોઇનમાં રોકી દીધા હતા. પાંડેને આ  અંગે જાણ થતાં તેણે રોહિતનું તે વોલેટ અને પાસવર્ડ મેળવી લીધા હતા. જો કે, રોહિતે સિક્યુરીટી સેટીંગમાં તેના ઇમેઇલ આઇડી ઉપર આવેલી લીંક બાદ જ વોલેટ ખુલે તેવું રાખ્યું હોવાથી પાંડેને વોલેટ ખોલવામાં સફળતા મળી ન હતી. આખરે પાંડેએ રોહિત સાથે સમાધાનની વાત શરૃ કરી હતી. તે સમયે રોહિતના જ મિત્ર અને એનસીઆર કરન્સીના પ્રમોટર પી.આઇ. લવ ડાભી કામરેજ  ખાતે ફરજ બજાવતા હોય તેમની મદદ લેવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.