Abtak Media Google News

એસજીવીપી  ગુરુકુલ રીબડી પરિસરમાં આવેલ નવીનભાઇ દવેના નિવાસ સ્થાને સુદર્શન મહાવિષ્ણુયાગની પુર્ણાહુતિ

રાજકોટ એસજીવીપી ગુરુકુલ અમદાવાદની નુતન શાખા રીબડા ગુરુકુલના પરિસરમાં આવેલ ગોપાળભાઇ નવીનભાઇ દવેના નિવાસ સ્થાનને કેવળ ભગવાન અને સંતાની પ્રસન્નોર્થે દર્શનમ સંસ્કૃત મહાવિઘાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી માર્ગદર્શન હેઠળ વૈદિક વિધી સાથે જનમંગલ સ્ત્રોત્ર અને સર્વમંગલ સ્ત્રોત્રની નામાવલીથી ધી, જવ, તલ, વગેર હુતદ્રવ્યોની અગ્નિનારાયણને આહુતિઓ આપી સુદર્શન મહાવિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Advertisement

યજ્ઞની પુર્ણાહુતિ પ્રસંગે એસજીવીપી ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, નવીનભાઇ દવે અને ગોપાળભાઇ દવેના હસ્તે યજ્ઞકુંડમાં શ્રીફળ અને ઘી હોમવામાં આવ્યા હતા.

આ પ્રસંગે યજ્ઞ પરાયણ પુરાણી ભકિત પ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિના અનેકવિધ અનિષ્ટોથી રક્ષણ કરનાર એવા વેદિક વિધિ વિધાન સાથે અને નિષ્કામ બુઘ્ધિથી કરવામાં આવેલ સુદર્શન યજ્ઞ માનવીને ઇચ્છીત ફળ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.