Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન દ્વારકાધીશના દર્શનાર્થે યાત્રાધામ દ્વારકા ખાતે પધાર્યા હતા. જો કે બપોરે આશરે પોણા બે વાગ્યા આસપાસ તેઓ દ્વારકાધીશ જગતમંદીર પરિસરમાં પહોચ્યા હતા. આ વેળાએ ઠાકોરજીને વિશ્રામનો સમય હોય અનોસર (મંદીર બંધ) ના સમયે પધાર્યા હોય તેઓને ઠાકોરજીના મંદીર પરિસરમાં બહારથી જ હ્રદયપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

અને પરત ફર્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઇની જેમ જશોદાબેન પણ ઠાકોરજીના અસીમ શ્રઘ્ધા ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.