હેમુગઢવી હોલ ખાતે નટવર્ય નૃત્યમાલા દ્વારા રંગમંચ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જયદા પારેખ અને પ્રતિક્ષા છાટબારનો રંગમંચ પ્રવેશ હતો. પ્રારંભમાં નંદકુમારાષ્ટમ વલ્લભાચાર્યની કૃતિ રજુ કરી હતી. વચ્ચે રામચંદ્રજીની રામાયણની કૃતિ લીધી હતી. જેમાં સીતા હરણનો પ્રસંગ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મીરા ભજનથી કૃષ્ણને અર્પણ કરી થયું હતું. આ કાર્યક્રમ અંગે હર્ષા ઠકકર કાનાબારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નટવર્ય નૃત્યમાલા છેલ્લા ૧૭ વર્ષથી ચાલે છે.૧૩મીના રોજ તેમાં બે દિકરીઓનું જયદા પારેખ અને પ્રતિક્ષા છાંટબારનો રંગમંચ પ્રવેશ થયો. છેલ્લા આઠથી દસ વર્ષથી તપસ્યા કરી રહ્યા હતા. મહેનત અને લગનથી આગળ વધી શકાય તેમના વાલીઓ દ્વારા પણ પ્રોત્સાહન મેળવી આગળ આવ્યા છે.કાર્યક્રમમાં તાલ-તિનતાલ અને ધમાળ તાલની પ્રસ્તુતી કરવામાં આવી હતી. સાથોસાથ વરસાદ હોવા છતાં પણ બહોળા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા તેનો આભાર માન્યો અને આગળ વધુને વધુ દિકરીઓ જોડાય તેવી ઈચ્છા વ્યકત કરે.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત