Abtak Media Google News

અખીલ ભારતીય કોળી સમાજનું આયોજન: કેબીનેટ મંત્રીને સન્માનવા જ્ઞાતિજનોમાં અનેરો થનગનાટ: અગ્રણીઓ અબતકની મુલાકાતે

અખીલ ભારતીય કોળી સમાજ દ્વારા આગામી રવિવારે ૮૦ ફૂટ રોડ ખાતે આવેલા મોહનભાઈ સરવૈયા હોલમાં કુંવરજીભાઈ બાવળીયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોળી સમાજની ૫૧ સંસ્થાઓ દ્વારા જ્ઞાતી રત્ન કુંવરજીભાઈનું બહુમાન કરવામાં આવશે આ અંગે વિસ્તૃત વિગત આપવા કોળી સમાજની ૫૧ સંસ્થા દ્વારા સન્માન કરવામા આવશે.રમેશભાઈ પરમાર, મનસુખભાઈ જાદવ, મહેશભાઈ રાજપરા, બી.ડી. તલસાણીયા, નીખીલભાઈ ભંડેણીયા, હિતેષભાઈ સરવૈયા, દિપ્તીબેન સોલંકી, જયદીપ સોલંકી, સવજીભાઈ સોરાણી, ગોપાલભાઈ કાલીયા, ભીખુભાઈ ડાભી, ચંદ્રીકાબેન વરાણીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયાને તાજેતરમાં પાણી પૂરવઠા તેમજ પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે અખીલ ભારતીય કોળી સમાજ દ્વારા આગામી રવિવારે બપોરે ૩ કલાકે મોહનભાઈ સરવૈયા હોલ ૮૦ ફૂટ રોડ, ફિલ્ડ માર્શલની બાજુમાં, કુંવરજીભાઈનો સન્માન સમારોહ યોજાશે.જેમાં કોળી સમાજના ગુજરાત પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઢાવાલાની ઉપસ્થિતિમાં ૫૧ સંસ્થાઓ દ્વારા કુંવરજીભાઈને સન્માનીત કરવામાં આવશે. કુંવરજીભાઈનું સન્માન કરવા ઈચ્છુક આગેવાનોએ પોતાનું નામ રમેશભાઈ પરમાર મો.નં. ૯૯૭૮૬ ૩૭૫૦૫ ઉપર રજીસ્યર કરાવવાનું રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.