Abtak Media Google News

અટલ સરોવરમાં નવા નીરનું પુજન: રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ કરશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓના હસ્તે રેસકોર્સ-૨માં ધનિષ્ઠ વૃક્ષારોપણ અને અટલ સરોવરમાં નવા નીરનું પૂજન કરાશે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, નાયબ વન સંરક્ષણ સામાજીક વનીકરણ વિભાગ એમ. એમ. મુનિ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મહાપાલિકા અને રાજકોટ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે શનિવારના રોજ  રેસકોર્ષ-૨ અને અટલ સરોવરના આસપાસના વિસ્તારમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ તા નવા નીરની પૂજનવિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સને  મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમની પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,  શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ તેમજ મુખ્ય મહેમાન તરીકે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ તા જીતુભાઈ કોઠારી, એચ જે. ઇન્ડ. પ્રા.લિ.ના પર્સોનલ મેનેજર જે. આર. કિકાણી, ભવાની ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મનીષભાઈ માદેકા, ગુજરાત બેંક અર્બન ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહ. બેંક લિ. ના ચેરમેન નલિનભાઈ વસા, ઇન્ડિયન ઇન્સ્ટી. ઓફ આર્યુવેદાના ચેરમેન મેહુલભાઈ રૂપાણી, એચ. એન. શુક્લ કોલેજના ચેરમેન નેહલભાઈ શુક્લ, હરિવંદના કોલેજના ચેરમેન મહેશભાઈ ચૌહાણ, આનંદ નર્સિંગ કોલેજના ચેરમેન કિશોરભાઈ સોઢા, જીનિયસ સ્કુલના ચેરમેન ડી. વી. મહેતા, આર. બી. ભાલોડીયા કોલેજના પ્રિન્સીપાલ નિરજભાઈ પટેલ તેમજ અતિથી વિશેષ તરીકે શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તથા શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.