Abtak Media Google News

૭ થી ૧૧ નવેમ્બર સુધી સિટી બસ અને બીઆરટીએસ બસ પણ સન્ડે શીડયુઅલ મુજબ ચાલશે

મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર નિમિતે ત્રણ દિવસ સુધી મહાત્મા ગાંધી મ્યુઝિયમ તથા પાંચ દિવસ સુધી સાઈકલ શેરીંગ પ્રોજેકટની કંટ્રોલ કેબીન પણ બંધ રાખવામાં આવશે. જયારે ૭ થી ૧૧ નવેમ્બર સુધી સિટી બસ અને બીઆરટીએસ સન્ડે શીડયુઅલ મુજબ ચાલશે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આગામી દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજના દિવસે મહાત્મા ગાંધી મ્યુઝિયમ બંધ રાખવામાં આવશે. જયારે શનિવારથી મહાત્મા ગાંધી મ્યુઝિયમ મુલાકાતીઓ માટે રાબેતા મુજબ ચાલુ રહેશે. દર સોમવારે મ્યુઝિયમમાં અઠવાડી રજા હોય છે પરંતુ આ સોમવારે મ્યુઝિયમ ચાલુ રાખવામાં આવશે.

મહાપાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ આગામી ૭ થી ૧૧ નવેમ્બર એમ સળંગ પાંચ દિવસ સુધી દિવાળીના તહેવારની રજા હોવાના કારણે સાઈકલ શેરીંગ કંટ્રોલ કેબિનની કામગીરી બંધ રહેશે અને ૧૨ નવેમ્બરથી આ કામગીરી ફરી નિયમિત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.