રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે તબક્કાવાર જુદા જુદા કામો કરી રહેલ છે. જેના ભાગ રૂપે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજની કામગીરી ચાલી રહેલ છે. જેન અનુસંધાને રૈયા ચોકડી તથા મવડી ચોકડી ખાતે ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની સ્થળ મુલાકાત મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોટરવર્કસ સમિતિ ચેરમેન બાબુભાઈ આહીર, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજાએ લીધેલ અને બન્ને ફ્લાય ઓવર બ્રિજની કામગીરીની માહિતી મેળવેલ. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરવામાં આવી હતી.
Trending
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ
- મોરબી જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ
- આજે આકાશમાં સેટેલાઇટનું સુંદર દ્રશ્ય દેખાશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રાજકોટ બેઠક પર સૌથી ઓછું અમરેલીમાં મતદાન