Abtak Media Google News

સ્થાનકવાસી જૈન મોટા સંઘ, વિરાણી પૌષધશાળા ખાતે પૂ. ધીરગૂરૂદેવના સાંનિધ્યે અમેરિકાના ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીઆ તથા દીપેન જે.કામદાર પ્રેરિત આત્મશાંતિ જાપમાં નવકારની ભકિત પૂ. સ્વાતિજી મ.સ., પૂ. પ્રવિણાજી મ.સ., પૂ. જયશ્રીજી મ.સ., પૂ. બંસરીજી મ.સ., પૂ.મૂકિતશીલાજી મ.સ.એ કરાવી હતી. ડો. ચંદ્રાવારીઆએ પોતાના જીવનમાં એકસીડેન્ટ સમયે નવકાર મંત્રના સ્મરણથી થયેલા લાભ બતાવ્યા હતા.

રાજકોટ મહાજનની પાંજરાપોળને મોટા સંઘના ઈશ્ર્વરભાઈ દોશી, શશીકાંત વોરા, સતીશ બાટવીયા, કૌશિક વિરાણી વગેરેએ ૧ લાખનો ગૌમાતા વિશ્રાતિ ગૃહ નિર્માણમાં ચેક યોગેશભાઈ શાહને અર્પણ કરેલ ડો. ચંદ્રાવારીઆ અને રંજના કામદારનું રજતમાળાથી મોટા સંઘે સન્માન કરેલ.

શય્યાદાન કળશનો લાભ દીપેન કામદારે લીધેલ બહેનોએ ૧૧ શ્લોક મુખપાઠ કરી પઠન કરેલ.

જયારે કાલે સવારે ૭.૧૫ થી ૮.૩૦ કલાકે ભકિતનગરમાં સર્કલ પાસે કોઠારી ઉપાશ્રયે ડો. ચંદ્રા અને ડો. મહેન્દ્ર વારીઆ પ્રેરિત મન શાંતિ જાપ રાખેલ છે. તેમજ તા.૩૧ને ગૂરૂવાર સવારે ૧૧ કલાકે જૈનાચાર્ય પ. જશાજી સ્વામી શતાબ્દી સ્મૃત્યર્થે નિર્મિત ગૌમાતા વિશ્રાંતિ ગૃહ સેડ અને શ્રીમતી રીટાબેન અભયકુમાર કાંતિલાલ શાહ પ્રેરિત શેડનું ઉદઘાટન યોજાયેલ છે. હજી તા.૧૧ લાખના નકરામાં ૨ સેડના આદેશ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.