ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટનાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી તાજેતરમાં મળેલ સામાન્યસભામાં બિનહરીફ ચુંટાયા છે. સર્વે જ્ઞાતિજનોના દ્વારા હર્ષ અને ઉલ્લાસનાં વાતાવરણમાં ફરી બિનહરીફ ચુંટાયા છે. ચુંટણી અધિકારી તરીકે જ્ઞાતિ મોભી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનંતભાઈ ભટ્ટ તેમજ સહાયક તરીકે નરેન્દ્રભાઈ ભટ્ટ અને પ્રવિણભાઈ જોષીએ પ્રમાણિક, નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવી સામાન્યસભા, ચુંટણી અંગેનું કાર્ય પૂર્ણ કરી પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષીને જાહેર કરેલા હતા. ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટની બેઠક ટુંક સમયમાં મળશે. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવશે. પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી (મો.૯૮૨૪૨ ૪૧૫૩૨)ને જ્ઞાતિજનો અને અન્ય સમાજનાં વડીલો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. હાલ પ્રમુખ સાથે અન્ય કારોબારી સભ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરેલ તેમ જ્ઞાતિનાં હરેશભાઈ ઠાકર તથા જયેશભાઈ રાવલની યાદીમાં જણાવેલ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!