રાજકોટની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતાં ર૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો પૈકી ૧૦૦ મોટા બાળકોને રાજકોટથી જેસલમેર, રામદેવરા, પોખરણગઢ, અમૃતસર, વાઘા બોર્ડર, જમ્મુ, કટરા, વૈશ્ર્ણોદેવી, કુરુક્ષેત્રે : દિલ્હી દર્શન, માન. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત જયપુર, નાથદ્વારા, ઉદયપુર તેમજ અન્ય જોવાલાયક સ્થળોના એક શૈક્ષણિક પ્રવાસ સ્લીપર બસ–ર દ્વારા યોજવામાં આવેલ છે. આ દિવ્યાંગ બાળકોને કુદરતી સૌદર્ય તથા બહારના પ્રાકૃતિક વાતાવરણ નો લ્હાવો માણે તથા બાળકોને બહારની દુનિયા જોવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીસી તથા માનદમંત્રી હસુભાઇ જોશી તથા સર્વે ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યઓએ પ્રવાસ માટે જનાર બાળકોને શુભેચ્છા પાઠવી .
Trending
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી