Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી પર ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે. રૈયા ચોકડી ઓવરબ્રિજનું ટુંક સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે લોકાર્પણ થનાર છે તેના અનુસંધાને આજ તા.૧૮/૦૨/૨૦૧૯ના રોજ સ્થળ મુલાકાત લેતાં મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વોર્ડ મંત્રી કાનાભાઈ સતવારા, અગ્રણી જયદીપસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આ બ્રિજમાં લાઈટીંગ, પેવર કામ, પેવિંગ બ્લોક, ડામરકામ ઝડપથી રાત દિવસ કામ ચલાવી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને સુચના આપેલ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.