એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયરૂપ સ્વામિનારાયણ ગુરૂકુલ જોગી સ્વામી એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ દિન પ્રતિદિન સફળતાના શિખર સર કરી રહી છે ત્યારે એસજીવીપી અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિઘ્યમાં રવિવારના રોજ સાંજે ૫ કલાકે એસજીવીપી હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે હૃદયને લગતી તમામ સારવાર કરતી અલ્ટ્રા મોડર્ન કેથ લેબના ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉદઘાટક તરીકે શા.માધવપ્રિયદાસજી સ્વામી રહેલ છે. મુખ્ય અતિથી તરીકે હર્ષદભાઈ અને અતિથિ વિશેષ તરીકે ડો.વિક્રાંત પાંડે (આઈ.એ.એસ. કલેકટર અમદાવાદ) રહેલ છે. આ પ્રસંગે કાર્ડિયોલોજિસ્ટ ટીમ ડો.સમીર દાણી, ડો.રશ્મિત પંડયા, ડો.કૃષ્ણકિશોર ગોયલ, ડો.અનુપ ગુપ્તા, ડો.જોયલ શાહ અને ઈન્ટરનેશનલ ન્યુરોલોજીસ્ટ ડો.કેયુર પટેલ ઉપસ્થિત રહેશે.
Trending
- સુરત : નકલી ચલણી નોટ છાપવાના રેકેટમાં વધુ એક ઝડપાયો
- બસ્તરમાં સાત નક્સલીઓનો ખાત્મો: ચાલુ વર્ષે કુલ 112 ત્રાસવાદીઓને ઠેકાણા પાડી દેવાયા
- હિંમતનગર નજીક અકસ્માત બાદ રોષે ભરાયેલા ટોળાએ પોલીસ વાહન સળગાવી કર્યો પથ્થરમારો
- પાટડી: સતી માઁ રતનબાના નવચંડી યજ્ઞમાં અગ્રણીઓએ આપી આહુતી
- ચોમાસામાં ટેરેસ પર બેસીને આ વાનગીઓનો આનંદ માણવા નોટ કરીલો રેસીપી
- જૂનાગઢમાં સમસ્ત સંધી યુવા સુન્ની મુસ્લિમ સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 11 દુલ્હા-દુલ્હનોએ નિકાહ પઢ્યા
- હનીટ્રેપમાં ફસાઈ દેશ સાથે ગદ્દારી કરનાર શખ્સને પોરબંદરથી ઝડપી લેતી એટીએસ
- મોરબી સ્પે. એસીબી કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો એક જ દિવસમાં લાંચીયા ત્રણ કર્મચારીઓને સજા અને દંડ ફટકાર્યા