Abtak Media Google News
ચોટીલા થાન રોડ પર નવ પશુ ભરેલ વાહન પલટી મારી જતા પાંજરાપોળ પહોંચાડવા માં આવ્યા કતલખાને ધકેલાતા પશુઓ ને વાહન પલટી મારતા ઇજા પહોંચી ચોટીલા થાન રોડ પર એક યુટીલીટી વાહન પલટી મારી જતાં તેમાં ક્રુરતાપુર્વક બાંધેલા નવ પાડા ઓ ને ઇજા પહોંચી હતી ત્યારે જીવદયા પ્રેમીઓ તથા પોલીસે આ ઘાયલ પશુઓ ને ચોટીલા પાંજરાપોળ પહોંચાડ્યા હતાં.
આ અંગે મળતી વિગત મુજબ ચોટીલા થાન રોડ પર નવ પાડા ભરી ને જઇ રહેલ સફેદ રંગ ની યુટીલીટી વાહન રોડ પર પલટી મારી જતાં તેમાં ઘાસચારા કે પાણી ની સગવડ વગર રાખેલા અને દોરડા વડે બાંધેલા નવ પાડા ઓ ને શરીર ના વિવિધ ભાગો માં ઇજા પહોંચી હતી.
આ તમામ ઇજાગ્રસ્ત નવ પાડાઓ ને ચોટીલા ના જીવદયા પ્રેમી ટીમ ના દલસુખભાઇ અજાડીયા , હરેશભાઇ ચૌહાણ , જયદીપભાઇ ધીરૂભાઇ ખાચર તથા ચોટીલા પોલીસે અન્ય વાહન માં ચોટીલા પાંજરાપોળ માં ખસેડ્યાં હતાં.
જ્યારે ચોટીલા પોલીસ માં આ અંગે દલસુખભાઇ અજાડીયા એ નોંધાવેલી ફરીયાદ મુજબ વાહન પલટી મારી ગયું ત્યારે તેમાં થી મેવાસા નો ચાલક લાલા વીરમ સાઢમીયા અને દેવસર ગામનો સુરેશ છનાભાઇ માથાસુરીયા વાહન છોડી નાસી છુટ્યાં હતાં.આ બનાવ ની વધુ તપાસ ચોટીલા પોલીસે શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.