Abtak Media Google News

કાવતરૂ રચી ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું

ગઢડા નજીક આવેલા ઉગામેડી ગામના આહિર યુવાનની પૈસાની લેતી-દેતીના પ્રશ્ર્ને ચાલતી અદાવતના કારણે તેના જ ગામના ત્રણ દલિત શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમનાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉગામેડી ગામે રહેતા જયવીર પ્રભાતભાઇ ચાવડા નામના ૨૪ વર્ષના આહિર યુવાનની તેના ગામના મહેસ વાલજી પરમાર, ગૌતમ વાલજી પરમા અને મૌલિક ગોવિંદ મકવાણા નામના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની પરેશભાઇ વજુભાઇ ચાવડાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક જયવીર ચાવડા અને મહેશ પરમાર વચ્ચે પૈસાની લેતી-દેતીના પ્રશ્ર્ને અદાવત ચાલતી હોવાથી ત્રણેય શખ્સોએ એક સંપ કરી કાવતરૂ રચી જયવીર ચાવડાને મોડીરાતે પીપળા ચોકમાં બોલાવ્યા બાદ તેના પર હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ગઢડા પોલીસે પરેશભાઇ ચાવડાની ફરિયાદ પરથી હત્યા કરી ભાગી છુટેલા મહેશ પરમાર, ગૌતમ પરમાર અને મૌલિક પરમાર સામે હત્યાનો ગુનો નોંધી પી.એસ.આઇ. રિઝવી સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે. નાના એવા ગામમાં આહિર યુવાનની થયેલી હત્યાના કારણે ચકચાર સાથે સોપો પડી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.