Abtak Media Google News

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં પ્રથમ વર્ષનાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા મુળ જુનાગઢનાં વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ‚મમાં ફાંસો ખાઈને જીવતર ટુંકાવી લીધું હતું. મૃતક જુનાગઢનાં તબીબનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. નવસારીમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો ચિરાગ સવજીભાઈ વઘાસીયા (ઉ.વ.૨૪)એ આ વર્ષે એમ.એસ.સી. ફોરેસ્ટ્રીમાં એડમિશન લીધું હતું. ચિરાગ વઘાસીયાએ સંકલ્પ પીજી બોયસ હોસ્ટેલમાં ‚મ નં.૧૧૬માં તેના ‚મ પાર્ટનર મયુર નામના યુવાન સાથે રહેતો હતો. ચિરાગ હાલ બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો. સોમવારે સવારે ચિરાગ કોલેજમાં ગયો ન હતો જેથી તેમનાં મિત્રો તેના ‚મ પર ગયા હતા અને ‚મ અંદરથી બંધ હતો. ‚મ ખોલીને જોતા ચિરાગને પંખા પર લટકેલી હાલતમાં મળતા પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.