પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. જૈન સમુદાય તપ, જપ, આરાધના સાથે તપશ્ર્ચર્યા કરી છે. આ પવિત્ર દિવસોમાં જૈનો ભકિતભાવ પૂર્વક દેરાસરોમાં ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્ય બની રહ્યા છે. શહેરનાં અલગ અલગ દેરાસરોમાં રોજે-રોજ મહાપ્રભુજીને અવનવા શણગાર કરાઈ રહ્યા છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે જાગનાથ જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ભગવાનને ભવ્ય અંગરચના સાથે ભાવના કરવામાં આવી હતી. ભગવાન મહાવીરની ભકિતમાં અનેક ભાવિકો જોડાયા હતા ભકિત સંગીતનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત શહેરનાં સુપ્રસિધ્ધ નાગેશ્ર્વર દેરાસર (જામનગર રોડ) ખાતે પણ ભગવાનની આંગીના અલૌકિક દર્શન થયા હતા. પર્યુષણ પર્વમાં દેરાસર દરરોજ સાંજે રોશનીથી ઝળહળી રહ્યું છે. રૈયા રોડ ખાતે આવેલા વૈશાલીનગર દેરાસરમાં પણ ભગવાન મહાવીરને હિરા-માણેક જડીત લાખેણી આંગી કરવામાં આવી હતી. ફૂલોનો શણગાર પણ દિવ્ય શોભાયમાન બન્યો હતો. પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં જૈનો દેરાસરમાં જઈ ભગવાનના દિવ્ય દર્શન કરી પવિત્ર બની રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ