Abtak Media Google News

ઈડરિયા ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી ઝરણા વહે છે. આ ઝરણાના પાણીમાં મૃત હાલતમાં એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઇડર વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. દીપડાનું કેવી રીતે મોત થયું સહિતની વધુ તપાસ હાથ ધરી હતી.

મહાકાલી મંદિરના પૂજારીને ઝરણાના પાણીમાં એક મરેલો દીપડો દેખાયો હતો. જેની તેણે ઇડર વન વિભાગને જાણ કરી હતી. જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. દીપડાનું વેટેનરી ડોક્ટરે પીએમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.