Abtak Media Google News

શહેરની વિવિધ શાળાઓ-આંગણવાડી તેમજ બાલભવનમાં બાલદિનની ઉજવણી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુની જન્મજયંતિને બાલદીન તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. પંડીત જવાહરલાલ નહેરુને બાળકો ખુબ જ પ્રિય હોય તેમની યાદમાં બાલદીને નાના-મોટા દરેક શહેરોમાં ઉજવણી કરવામાં આવે છે. આજે શહેરની વિવિધ શાળાઓ, આંગણવાડી તેમજ બાલભવનમાં બાલદીનની ઉજવણી કરવામાં આવી હતી. આજે શહેરની મોટાભાગની શાળાઓમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે બાલદીન ઉજવવામાં આવ્યો હતો અને બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.