સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિમલ રીચર્સ સોસાયટી ફોર એગ્રો બાયોટેક સાથે તા.૧૯ નવેમ્બરનાં રોજ એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયુ સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં રજીસ્ટર રમેશ પરમાર તથા વિમલ રીચર્સ સોસાયટી તરફથી ડો.મનિષ વેકરીયા અને ડો.વિરેન્દ્ર પટેલે હાજરી આપીને એમઓયુમાં સહી કરી હતી. વિમલ રીચર્સ સોસાયટી સંસ્થામાં કિરલીયન ફોટોગ્રાફી, બાયોફ્રોટોન ઈમીશન, પ્લાન્ટ ટીસયુકલ્ચર, મેડીસનલ પ્લાન્સ તથા દરીયાઈ લીલ જેવા વિષયો ઉપર સંશોધન માટેની વિશાળ પ્રયોગશાળા ધરાવે છે. આ સંસ્થા ભારત સરકારનાં સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં વિભાગ સાથે માન્યતા ધરાવતી સંસ્થા છે. તેનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને આધુનિક અને નવી અદ્યતન રીચર્સ ફેકલ્ટીથી અવગત કરવા અને પ્રોત્સાહન પુરુ પાડવાનો છે. આ એમઓયુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ વિભાગનાં વિદ્યાર્થીઓને સંશોધનકાર્ય કરવા માટેની વિશાળ તકો ઉભી થશે. આ એમઓયુ સમયે બાયોસાયન્સ ભવનનાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે પ્રોફેસર એસ.પી.સિંગ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી