Abtak Media Google News

આર્ટ ઓફ લીવીંગ રાજકોટ પરિવાર દ્વારા ગૂ‚પૂર્ણિમા દિવસે તા.૯ જુલાઈને રવિવારના રોજ સાધકો માટે સવારે ૬ થી ૮ મહાસુંદર્શનક્રિયા શ્રીશ્રી જ્ઞાન મંદિર, ગાયત્રીનગર મેઈનરોડ શ્રીશ્રી હેપીનેસ સેન્ટર કુવાડવા રોડ, ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ પર રાખવામાં આવેલ છે. તેમજ ઈન્ટરનેશનલ સીંગર સચીન લીખયે સાથે મહાસત્સંગ સાંજે ૮.૩૦ થી પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

Advertisement

સચીન લીખયેજીએ બી.ઈ. ઈલેકટ્રીકલ તેમજ એમ.ઈ. કંટ્રોલ સીસ્ટમ કરેલ છે. તેઓ ઓલ ઈન્ડીયા ગઝલ ૨૦૦૦ કોમ્પીટીશન જીતી ચૂકયા છે. તથા ગુજરાતી સારેગામા ઝી ટીવીમાં વિજેતા થયા છે. ગઝલો ભજનો, ગરબાના કાર્યક્રમો દ્વારા દેશ વિદેશમાં ભ્રમણ કરી ભારતીય સંગીતને ફેલાવી રહ્યા છે. આર્ટ ઓફ લીવીંગ સાથે ૧૫ વર્ષથી જોડાયેલા છે.૨૦ આલ્બમ આપી ચૂકયા છે. તો આ ગૂ‚પૂર્ણિમા સચીનજીની મહાસત્સંગમાં જોડાવવા સંસ્થા જાહેર જનતાને આમંત્રણ છે. આ માટે વધુ માહિતી માટે મો.નં. ૯૮૭૯૧ ૨૪૭૭૪ સંપર્ક કરવો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.