Abtak Media Google News

દરેક ઘરમાં ક્યારેક અને કેટલી વાર અનેક વસ્તુ જમવાનું પૂર્ણ થયા બાદ વધતી હોય છે. તો ઘણા તેને સ્ટોર કરતાં હોય છે તો ઘણા તેને ફેકી દેતાં હોય છે. ત્યારે આ અમુક વધી ગયેલી વસ્તુ અનેક રીતે ઉપયોગી હોય છે અને ગુણકારી તેમજ સ્વાદિષ્ટ પણ હોય છે. જેમ પનીર થયા બાદ તેનું પાણી છૂટે છે તેનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. શું તમે તેનો ઉપયોગ કરો છો ? ત્યારે આજે એવા જ અમુક ફાયદા તેમજ ઉપયોગ તમને અમે જણાવાના છીએ.

મેકરોનીને શાકભાજીને વધુ ટેસ્ટી બનાવશે

જ્યારે રોજિંદા દિવસમાં રોજ નવા-નવા શાક બનાવમાં આવતા હોય છે. ત્યારે અમુકને બાફવા આવે તો અમુક સીધાં વપરાય છે. ત્યારે શાકભાજી તેમજ મેકરોનીને બાફતી વખ્તે આ વધેલું પાણીનો ઉપયોગ કરો તો શાકભાજી અને મેકરોની જલ્દી તેમજ સરળતા બફાય જશે.

તમારી સુંદરતાને નિખારો

દરેકને સુંદર દેખાવું ગમતું જ હોય છે. ત્યારે આ વધેલા પાણીથી તમારા મુખ પર લગાવો અને તેના કારણથી તેમાં અનેક ચામડી તેમજ સુંદરતા માટે ખૂબ બને છે કારણ તેમાં એન્ટિઓક્સિડેંટ તેમજ માઇક્રો બેકટેરિયલ એનઝાઈન્યમ હોય છે અને તે સુંદરતા માટે ખૂબ ઉપયોગી બને છે.

પાલતુ પ્રાણીને ખવડાવો

જ્યારે તમારા ઘરમાં પાલતુ પ્રાણી હોય છે તો તેના ખાવામાં અવશ્ય આ પાણી ભેળવો તો તે અવશ્ય તમારા પાલતુ પ્રાણીને ભાવશે સાથે તેમાં સારા ગુણ પણ હોય છે જે તમારા પાલતુ પ્રાણીને અવશ્ય મળશે.

ફૂલ-ઝાડમાં નાખો

આ પાણી તે જેમ ખાતરનો ઉપયોગ કારણ આ પાણીમાં અનેક સારા ગુનો હોય છે. જેના કારણથી તમારા ફૂલ-ઝાડ વધુ સારા ખીલશે સાથે તેને નુકશાન પણ નહીં પહોંચાડે. કદાચ બહારના ખાતરમાં કેમિકલ હોય તો તે નુકશાન પહોંચાડી શકે છે. તો આ વધેલા પાણીનો અવશ્ય ઉપયોગ કરો.

સરબત બનાવતી વખ્તે થોડું ઉમેરો

દરેક જ્યુશ કે સરબતમાં આપણે સ્વાદને થોડું વધારે મજા આવે તેવું કરવા અનેક વાર જુદી-જુદી વાસ્તુઓ ઉમેરતા હોય છીએ. ત્યારે હવેથી આ વધેલું પનીરનું પાણી ઉમેરો અને તેનો સ્વાદ માળજો બહુ મજા આવી જશે. કોઈપણ સ્વાદને વધુ ટેસ્ટી કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.