Abtak Media Google News

કોરોના વાયસર અંતર્ગત પોતાના વતન તરફ લાવવા આજથી રાજય સરકાર દ્વારા એસટી બસોની ફાળવણી કરવામાં આવેલ જે અન્વયે અમરેલીના બગસરા  એસ.ટી. ડેપો ખાતેથી પણ સુરત અમદાવાદ સહિતના મોટા વિસ્તારોમાંથી કોરોના વાયરસના કારણે લોકોને પોતાના વતન તરફ લાવવા અર્થે એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે હાલ એસટી બસ સ્ટેન્ડ ખાણે પણ એસટી બસની સેનેટરાઇઝર તેમજ એસટીની સમાર કામ કરીને ડ્રાઇવરને એસટી બસ સોંપવામાં આવતી હતી તો બીજી બાજુ ડ્રાઇવરોમાં પણ થોડો ઘણો કચવાટ જોવા મળ્યો હતો. અમરેલી ડીવીઝન મેનેજર આ બાબતે તાકીદ કરતા તેમણે હાલ ૮ તારીખથી અત્યાર સુધીમાં જે એસટીઓની ફાળવણી કરવામાં આવેલ હોય તેની માહીતી આપવામાં આવતી પરંતુ જે સ્થાનીક બગસરા એસટી ડેપો લેવલે ડેપોમેઝર સહીતના એસટી બસ સ્ટેન્ડમાં કોઇ ઘણીઘોરી ન હોય તેમ સાવ ભંગાર હાલતમાં થઇ ગયેલ વહિવટ જતાં લોકોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું છે. ત્યારે અગત્યની બાબતએ જોવા મળી કેસીસી ટીવી કેમેરાઓને પણ આડા અવળા ફેરવી નાખવામાં આવેલ છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ બાબતની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ થશે કે કેમ અને અંતે એસટી  ના ડ્રાઇવરે દ્વારા પોતાને સેનીટેશનની વ્યવસ્થા ન હોય તેમજ માસની પણ વ્યવસ્થા ન હોય તે બાબતે પણ તેમની રજુઆતો કરવામાં આવી હોય તેવું ડ્રાઇવરો દ્વારા જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.