વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સેવાભાવી કાર્યકર રાજેશકુમાર વી. મહેતાએ તેમના પિતાની સાતમી પુણ્યતિથિ નિમિતે ૭મી વખત રકતદાન કર્યુ હતુ. સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકમાં તેમના મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં રકતદાન કરવામાં આવ્યુ હતુ. બ્લડબેંકમાંથી રકતદાન વિશે વોકહાર્ટમાં દાખલ પેશન્ટને બ્લડની તાત્કાલિક જરૂર હોય તે અંગે ફોન કરવામાં આવ્યો હતો. હાલ કોરાના મહામારીમાં રકતની અછતના સમયમાં રકતદાન કરવા બદલ બ્લડબેંકના એમ.ડી.એ. રાજેશભાઇ મહેતાને બિરદાવીને સન્માનિત કર્યા હતા. બ્લડ બેંકમાંથી ફોન આવ્યો કે બી. બ્લડગૃપની ખૂબજ જરૂરીયાત છે ત્યારે રાજેશભાઇ તાત્કાલિક પહોંચી ગયા હતા અને રક્તદાન કરીને ઓપરેશનમાં દર્દીને મદદરૂપ થયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત