Abtak Media Google News

૨૧ તાજેતરમાં જ ક્રિકેટ ક્ષેત્રમાંથી નિવૃત્તિ જાહેર કરનાર વિશ્વ ચેમ્પીયન ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંઘ ધોની, થોડા સમય પહેલા અમદાવાદ ક્રિકેટ રમવા માટે આવેલ ત્યારે તેમણે એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલની મુલાકાત લીધી હતી. ગુરુુકુલના સંતો અને વિદ્યાર્થીઓએ ભાલે કુમકુમનો ચાંદલો કરી ભારતીય પરંપરા પ્રમાણે પૂર્ણ કુંભ સાથે ભાવભર્યું  સ્વાગત કર્યું હતું.

Advertisement

Mahendrasinh Dhoni 2

ત્યાર બાદ ઘોનીએ ઇન્ટરનેશનલ સ્કુલ, ગુરુકુલનું નેશનલકક્ષાનું ગ્રીનરી લોનવાળું ક્રિકેટ ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વીમીંગ પુલ, એ.સી. હોસ્ટેલ અને આધુનિક ગૌશાળા વગેરે નિહાળી અત્યંત ખુશી વ્યકત કરી હતી. વિદ્યાર્થીઓ સાથે ક્રિકેટ અંગે પ્રશ્નોત્તરી કર્યા બાદ ઘોડે સ્વારીનો પણ આનંદ માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.