Abtak Media Google News

અધિકમાસ દરમિયાન વિવિધ સેવાયજ્ઞ

એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને રીબડા ગુરુકુલ સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા માછલીથી માંડીને માનવ સુધી વિવિધ ક્ષેત્રે સેવાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. જેમાં શરુઆતમાં માખાવડ ગૌશાળા, સરદાર ગૌશાળા અને ગોંડલ ગૌશાળાની ગાયોને લીલુ ઘાસ નખાયું

અધિક માસ દરમ્યાન રાજકોટની બાજુના ગામો જેવાકે રીબડા, ગુંદાસરા, ખોરાણા, રાવકી, ઢોલરા, રીબ, માખાવડ, શાપર, વાવડી વગેરે ગામોમાં (તા.૧૮૯-૨૦૨૦ થી ૧૬-૧૦-૨૦૨૦ )  અધિક માસ દરમ્યાન   ભગવાન  સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશાને આધારે સર્વ પ્રાણી માત્રનું મંગળ થાય તેવી ભાવના સાથે દરરોજ વિવિધ સેવા યજ્ઞ રાખેલ છે.

Photo 2020 09 20 17 22 21

જેમાં દરરોજ જે તે ગામોમાં જાતે જઇ વિવિધ ગોશાળાઓમાં પશુઓ માટે દવાની કીટ અને ઘાસચારો,વિધવા બહેનોને રસોઇ માટે કુકર વિતરણ, સાધુ સન્યાસી અને બ્રાહ્મણોને વદાન, કારખાનામાં મજુરી કરતા લોકોને ટિફિન બોક્સ વિતરણ, નિરાધાર સસ્તે રઝળતી ગાયોને ચારો, અંધ લોકોને લાકડી વિતરણ, અપંગ લોકોને સહાયરુપ નાર ઘોડી વિતરણ, પશુ-પક્ષીઓને પાણી પીવા માટે કુંડીનું વિતરણ, અનાથ બાળકો માટે ટુવાલનું વિતરણ, જરુરિયાતમંદો માટે ચશ્માનું વિતરણ, ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટે બેટરી -લાઇટનું વિતરણ, સંસમાં રહેતા તમામ કર્મચારીઓને મેડિકલ ઇન્સ્યોરન્સ, ૧૦૮ તા એમ્બ્યુલન્સ ડ્રાઇવરો માટે વોટર બોટલ, ખેત મજુર કરતા લોકો માટે બુટ ચંપલ વિતરણ, સફાઇ કામદારો માટે કપડાનું વિતરણ, પોલિસ સ્ટેશનમાં પાણી પીવાના જગનું વિતરણ, મોર તથા અન્ય પક્ષીઓ માટે ચણની વ્યવસ, કોરોના સંક્રમિત પરિવારો માટે ઉકાળા તા અન્ય મદદ તેમજ કિડીયારુ પુરવું, માછલીઓ માટે ડેમમાં લોટની ગોળીઓ, ખીસકોલી જેવા નાના પ્રાણીઓ માટે  મકાઇના ડોડા મૂકવા, કૂતરાઓ માટે રોટલા વગેરે સર્વજીવહિતાવહ મદદ શરુ થયેલ છે.

સેવા યજ્ઞ  હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી અને ર્તીસ્વરુપદાસજી સ્વામી સંભાળી રહ્યા છે.

આ સેવા યજ્ઞમાં જોડાવા અને સહયોગ આપવા માટે મો.નં. ૯૮૭૯૦૦૦૯૫૫  અને ૯૭૨૭૭૦૭૦૭૩ ઉપર સંપર્ક સાધવા શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીની યાદીમા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.