તાજેતર માં અત્રે રાજકોટ ખાતે વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની ઈએનટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો આવ્યો. મયુરભાઈ બારસિયા કે જેઓ રાજકોટ ના વતની છે તેમનો ૧૦ મહિના નો પુત્ર ભવ્ય બારસિયા સાત દિવસ અગાઉ તે ઘરે રમતા રમતા શીંગ નો દાણો ગળી ગયો હતો અને ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઉધરસ અને કફ થઇ જતા સ્થાનિક દવાઓ કરાવી હતી પરંતુ ફરક ન જણતા તેઓ ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કર ને બતાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડયું કે તેની શ્વાસનળીમાં ડાબી બાજુ છેક ફેફસા ની નજીક કંઈક ફસાયેલ હતું. ડો હિમાંશુ ઠક્કરે સંપૂર્ણ તપાસ કરી બાળકને ઓપરેશન થીએટરમાં લઇ દૂરબીન વડે ગણત્રી ની મિનિટો માંજ સાત દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૧૦ મહીના જ હતી તેની શ્વાસનળી ખુબજ સાંકળી અને નાજુક હોય એવી પરિસ્થિતિમાં જો કોઈક વસ્તુ તેમાં ફસાય જાય ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઇ જાય છે. ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક સફળતા થી દૂરબીન વડે ૭ દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો દૂરબીન વડે કાઢી આપી બાળકને નવજીવન આપ્યું.આ તબક્કે દર્દીના પિતા મયુરભાઈ બારસિયા એ હૃદયપૂર્વક ડો ઠક્કર નો આભાર માન્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી