અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ હોઇ અને કચ્છ જિલ્લામાં કોવીડ-૧૯ને અનુલક્ષીને મુકવામાં આવેલ પ્રતિબંધોની અમલવારી તેમજ તા.૧/૯/૨૦૨૦થી અનલોક-૪ તેમજ મેળા/ઉત્સવો/ધાર્મિક તહેવારોને અનુલક્ષીને સમગ્ર કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ તા.૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ