ગીર-સોમનાથ જિલ્લો બન્યા બાદ વિવિધ કચેરીઓ જીલ્લામાં કાર્યરત છે. જેમાં વહીવટી તંત્રના નવા પગલા મુજબ ગીર સોમનાથ જીલ્લાની નાયબ કાર્યપાલક કચેરીને અપગ્રેડ કરી તા.૧.૬.૨૦ થી ગીર-સોમનાથ જિલ્લાના સ્વતંત્ર કાર્યપાલક ઈજનેરની કચેરી ફાળવી દેવાઈ છે. જે ઓફીસને બેસવા માટેનું બિલ્ડીંગનું રીનોવેશન નવું બાંધકામ સહિતની સંપૂર્ણ તૈયારીઓ જિલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના ઉપરનાં માળે થઈ રહી છે.તેમ જિલ્લા સિંચાઈ આસી ઈન્જી. એન.બી. સિંઘલે જણાવ્યું હાલ આ કચેરી પોરબંદર ખાતે ફરજ બજાવી રહી છે. પરંતુ ઓફીસ અંગેનું સંપૂર્ણ કામ ઓકટો. અંતમાં પૂરૂ થઈ જશે ત્યારે અહી સ્થળાંતર કરવામાં આવશે જેના કાર્યપાલક ઈજનેર બી.કે. વાલગોતર રહેશે. આ ઓફીસનું કાર્યક્ષેત્ર સમગ્ર ગીર સામેનાથ જિલ્લો રહેશષ જેમાં મધ્યમ સિંચાઈ ડેમોની યોજના, બંધારા, જિલ્લા પંચાયત શીવાયના તમામ ચેક ડેમો આવરી લેવાશે. અત્યાર સુધી આ જીલ્લાના ખેડુતો, અરજદારો કોન્ટ્રાકટરોને જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અલગ અલગ સબડીવીઝનોમાં જવું પડતું અને ફરિયાદ સંકલન સમિતિમાં પૂર્ણ કક્ષા અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે કચેરી માટેના બિલ્ડીંગ રીપેરીંગ કામ પૂર્ણ થવા પૂરજોશમાં કાર્યરત છે. આ કચેરી શરૂ થતા પ્રજાજનો ખેડુતોને ઘર આંગણે સુવિધા મળશે બહાર જવાની હાલાકી ઘટશે તેવી આશા પ્રજાજનોમા જોવાઈ રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ